Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુરતમાં આર્થિક મંદીના કારણે વરાછાના હીરાના વેપારીએ મુસીબતમાં આવી ફાસો ખાઈ આપઘાત કર્યો

સુરત:આર્થીક મંદીના કારણે તણાવગ્રસ્ત વરાછાના હીરાના કારખાનેદારને તેના બંધ પડેલા કારખાનામાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મંદીને લીધે કારખાનાને તાળુ મારી દેવું પડયું પણ આર્થિક ભીંસ ઓછી થઇ નહોતી.

સ્મીમેર હોસ્પિટલથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૪ વર્ષીય જયસુખભાઇ નાનુભાઇ ગોળકીયા(મૂળ રહે- ઓથા, તા-મહુવા, જી-ભાવનગર) મોહનની ચાલમાં ખોડલકૃપા એપાર્ટમેન્ટમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. હાલની પરિસ્થિતિમાં ચાલી રહેલી મંદીના કારણે તેમને કારખાનાને તાળા મારી દેવા પડયા હતાં. પણ કારખાનું બંધ કરવાથી મુસિબત પુરી થવાની ન હતી. ઘર ચલાવવા સાથે કારીગરોના બાકી પગાર પણ ચુકવવાના હતા. 

(5:42 pm IST)