Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદમાં ટ્રસ્ટીની હત્યાનો ભેદ ઉકેલાયો: ઉશ્કેરાયેલ પત્નીના પ્રેમી કરી હતી હત્યા

અમદાવાદશહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા સ્કૂલના ટ્રસ્ટી હરેશની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. હરેશની હત્યા તેની પત્નીના પ્રેમી નીતિન મરાઠીએ કરી હતી. આરોપીએ દારૂની મહેફિલ માણવાના બહાને હરેશને હાથીજણ ખારી કેનાલના પૂલ નીચે લઇ ગયા બાદ હત્યા કરી હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો હાથીજણ ખારી કેનાલના પુલ નીચે એક વ્યકિતની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને પગલે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને મળ્યા હતા.

ત્યાર બાદ પોલીસ દિવસભર મૃતદેહની ઓળખ કરવા માટે મથામણમાં હતી, દરમિયાન એક યુવક પોલીસની મદદ કરવા માટે પોલીસ સ્ટેશન આવી ચઢ્યો હતો. પોલીસ સ્ટેશને આવેલા યુવકે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એસ.અસારીને હત્યાના આરોપીઓ તેની પાસે મદદ માગવા માટે આવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. યુવકે પી.એસ.આઇ.ને જણાવ્યું હતું કે સોમવારની રાત્રે અર્બુદાનગર ઓઢવમાં રહેતો નીતિન નામનો યુવક તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, અમે હત્યા કરીને આવ્યા છીએ સંતાવવા માટે જગ્યા જોઈએ છે.

(6:41 pm IST)