Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નાણાકીય લેતીદેતી મામલે રત્નકલાકાર યુવાનનું અપહરણ કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: નાણાંકીય લેતી-દેતીમાં ગત બપોરે પૂણાની સરગમ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર યુવાનનું બે વ્યક્તિએ અપહરણ કરી એક કલાક સુધી બાઇક પર ફેરવી માર માર્યા બાદ છોડી દીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના જીરા ગામનો વતની અને સુરતમાં પૂણા ગામ દાનગીગેવની સામે સરગમ સોસાયટીના ઘર નં. એ-૧૯માં રહેતો ૪૦ વર્ષીય સુરેશ કરશીભાઇ વાડદોરીયા રત્નકલાકાર તરીકે કામ કરે છે. સુરેશનો એક મિત્ર પત્ની દક્ષાને છોડીને ચાલી ગયો હતો છતાં સુરેશના તેની પત્ની - બાળકી સાથે કૌટુંબિક સંબંધો હતો. દક્ષાને સુરેશ ઉપર વિશ્વાસ હોવાથી સાડા ત્રણ વર્ષ અગાઉથી તેણે પુત્રીના અભ્યાસ માટે થોડા થોડા કરીને રૃ. ૨.૫૦ લાખ યોગ્ય આયોજન માટે જમા કરાવ્યા હતા. થોડા સમય અગાઉ દક્ષાએ પૈસા પરત માંગતા સુરેશે રૃ. ૪.૬૦ લાખ પરત કરી દીધા. જો કે,ત તેના  એક માસ બાદ દક્ષાની સાથે હાલ રહેતા કિરીટે સુરેશ પાસે પૈસા માંગતા ૪.૬૦ લાખ આપી દીધા છે તેમ સુરેશે કહ્યું હતું. 
 

(6:41 pm IST)