Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આણંદ જિલ્લાના વઘાસીમાં ભજનમાંથી પરત ફરતા બિલ્ડર પર હુમલો કરી ત્રણ શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું

આણંદ:જિલ્લામાં ફાયરીંગના બનાવો વધી રહ્યા છે.આણંદમાં આવેલ વઘાસી પાસે ગઈ કાલે મોડી રાત્રે ભજનમાંથી આવતા એક બિલ્ડર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ આણંદ પંથકમાં ચકચાર મચાવી લીધી હતી. આ બનાવમાં ત્રણ ઈસમોએ પૈસાની લેતીદેતીમાં બિલ્ડરને ફોન કરી તેની સાથે ઝઘડો કર્યો હતો.જ્યારે આ ઈસમોએ બિલ્ડપ પાસે જઈ માર મારી તેના ત્રણ દાંત પાડી નાંખી હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ ંહતું.આ ઘટનામાં આણંદ સીટી પોલીસ મથકે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદ વઘાસી રોડ પર ફાટક પાસે આવેલ ગોલ્ડન પાર્ક સોસાયટી પાસે ગઈ મધ્ય રાત્રીના સુમારે ફાયરીંગના બનાવે ચકચાર મચાવી હતી. આ ઘટનામાં સંકુતલા બંગ્લામાં રહેતા કનુભાઈ ગોહેલ જે બિલ્ડર છે. તેઓએ તા. ૨૩-૩-૨૦૧૭ના સમયગાળામાં સંદિપ પરમાર નામના ઈસમને ૨ લાખની માતબર રકમ ઉછીની આપી હતી. આ રકમ પરત માંગતા તેને રકમ પેટે ચેક આપ્યો હતો. ત્યાર બાદ પણ આ ઈસમે પૈસા પરત ન આપતા ગઈ કાલે મોડી રાતના સુમારે સંદિપ પરમાર અને દેવેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના ઈસમોએ તેમને મોબાઈલ પર ફોન કરી ચિખોદરા ચોકડી પર બોલાવ્યા હતા. આ બંન્ને ઈસમોને ભજનમાં હોવાથી ન આવવા માટે જણાવાતા આ ઈસમો તેમના ઘર નજીક પહોંચ્યા હતા.
 

(6:40 pm IST)