Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદના ચાંદખેડામાં લુટારુઓની ટોળકીએ આર્મીના જવાનના ઘરમાં ધાડ પાડી પથ્થરમારો કર્યો

અમદાવાદ: એક તરફ પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે, જ્યારે બીજીતરફ અમદાવાદમાં લૂંટ, અપહરણ, હત્યા અને ધાડના બનાવો સામાન્ય બનતા જાય છે. ચાંદખેડામાં લુંટારાઓએ એક આર્મીના નિવૃત જવાનના ઘરે મોડી રાત્રે ધાડ પાડીને ભારે પથ્થરમારો કર્યો હતો. તેમનો પરિવાર જાગી જતા આરોપીઓે નિવૃત જવાનની પત્નીને માર મારી તેના દાગીના લુંટી લીધા હતા. ચાંદખેડા પોલીસે આ અંગે તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં આમ્રકુંજ બંગ્લોઝમાં રહેતા પ્રેમકુમાર રામકિશોર અવસ્તી (૪૯) આર્મીમાંથી નવૃત થયેલા છે અને પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ સાણંદમાં એક કંપનીમાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે. ૧૭ જુનના પ્રેમકુમાર તેમના મકાનના પહેલા માળે પરિવાર સાથે ઊંઘી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે ૩ વાગ્યે મકાનનો દરવાજો કોઈ તોડતું હોય તેવો અવાજ આવતા પ્રેમકુમારે બારીમાંથી નીચે જોયું હતું. જેમાં તેમને ચાર શખ્સો દેખાયા હતા અને સેફ્ટી ડોરનો દરવાજો પણ ખુલ્લો દેખાયો હતો. આથી આ નિવૃત જવાન ચોર ચોરની બુમો પાડતા તેમના રૃમમાંથી બહાર આવતા બીજા ચાર શખ્સો નજરે ચડયા હતા. બાદમાં મોઢા પર રૃમાલ બાંધેલા સાતથી આઠ શખ્સોએ જોરદાર પથ્થરમારો શરૃ કર્યો હતો. 
 

(6:39 pm IST)