Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વડોદરા:કિશનવાડી વિસ્તારમાં નજીવી બાબતે બે પક્ષ વચ્ચે ધીંગાણું થતા 9 શખ્સો ઈજાગ્રસ્ત

વડોદરા:કિશનવાડીમાં ગત રાતે નજીવી બાબતે બે પક્ષ વચ્ચે ધિંગાણું થયું હતું.જેમાં નવ વ્યક્તિઓને ઇજા થઇ હતી.જે અંગે બંને પક્ષે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કિશનવાડી પાસે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો કમલ હીરાભાઇ કહાર કારખાનામાં લેબર તરીકે નોકરી કરે છે.પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,ગત રાતે દશ વાગ્યે હું અમારી સોસાયટીની સામે આવેલ હરીહર એપાર્ટમેન્ટમાં કરિયાણાની દુકાનમાંથી દૂધની થેલી લઇને મારા ઘરે જતો હતો.તે સમયે અમારી સોસાયટીના નાકા પાસે અમારા ઘરની સામે રહેતા ગટુ સાથે ત્રણ વ્યક્તિઓ ઝઘડો કરતા હતા.જેથી,હું ગટુને છોડાવવા માટે ગયો હતો.આદિત્ય અશ્વિનભાઇ નીતનવરે,રાહુલ વિજયભાઇ નીતનવરે, ચેતન અરૃણભાઇ નીતનવરે, અશ્વિન દેવમન નીતનવરે તથા અરૃણ દેવમન નીતનવરેએ ભેગા થઇને મને માર માર્યો હતો.તેમજ જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે ચેતન કહારે કમલ હીરાભાઇ કહાર, કિરણબેન કમલભાઇ કહાર, પિન્કીબેન જગદીશભાઇ કહાર, સોનુ હીરાભાઇ કહાર અને આકાશ અશોકભાઇ કહાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,આરોપીઓએ લોખંડની પાઇપ તથા લાકડી વડે  હુમલો કરીને મને તથા મારા  પરિવારના આઠ લોકોને ઓછીવત્તી ઇજા પહોંચાડી હતી.પાણીગેટ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:41 pm IST)