Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

નાથદ્વારા -દ્વારકા બસનો કંડકટર શામળાજી પાસે પીધેલી હાલતમાં ચાલુ બસે બેહોશ : મુસાફરોમાં ભારે નારાજગી

બસના ડ્રાઈવરે જ શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ :પવિત્ર યાત્રાધામને જોડતી ઇસરી બસનો કંડકટર પીધેલી હાલતમાં નશામાં ચકનાચૂર થઈને ચાલુ બસે બેહોશ થતા બસના ડ્રાઈવરે જ શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કંડકટર પીધેલી હાલતમાં બેહોશ થતા મુસાફરોને અન્ય બસમાં મોકલી અપાયા હતા બસના કંડકટર નશામાં ચકનાચૂર થતા મુસાફરોમાં નારાજગી ફેલાઈ હતી અને તંત્ર સામે સવાલ ઉઠ્યા હતા

  મળતી વિગત મુજબ અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે એસટી બસનો કંડકટર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો હતો. તેની સામે બસના ડ્રાઈવરે જ શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી નોધાવી છ

  ગુજરાત એસટીની બસ રૂટના આ કંડકટર ચાલુ ડ્યુટીએ નશો કર્યો હતો. આ બસ દ્વારકાથી નાથદ્વારા ગયા પછી પરત દ્વારકા ફરી રહી હતી તે દરમિયાન શામળાજી નજીક આવતા નશામાં ચકચૂર બનેલો બસનો કંડકટર બેહોશ થઈ જતા તેની સામે બસના ચાલકે જ પોલિસ ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(8:54 pm IST)