Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મુખ્ય સચિવ જે.એન. સિંઘને એક્ષટેન્શન આપવાની હિલચાલ

કાર્યકાળમાં વધારો ન થાય તો અન્ય સારી જગ્યાએ સ્થાન

ગાંધીનગર તા. ર૦: રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંઘ ૩૧મે એ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે. તેમના કાર્યકાળમાં ૩ માસ જેટલો વધારો કરવા માટે રાજય સરકારે હિલચાલ શરૂ કર્યાનું જાણવા મળે છે. આખરી મંજુરી કેન્દ્ર સરકારમાંથી મેળવવાની રહે છે. તા. ર૩મીનું ચૂંટણીનું પરિણામ આ નિર્ણય પર અસરકર્તા બને તેવી શકયતા છે.

જો મુખ્ય સચિવ શ્રી જે.એન. સિંઘને એક્ષટેન્શન ન અપાય તો રાજય કે કેન્દ્રમાં કોઇ મહત્વના સ્થાને નિવૃત પછીની નિમણૂંક થઇ શકે છે. જે.એન.સિંઘના અનુગામી હમણા નિયુકત કરવાના હોય તો બહુ ગાજેલા નામોના બદલે કોઇ નવુ જ નામ આવે તેવી શકયતા નકારાતી નથી.

(4:16 pm IST)