Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

યુવાનો પાસે અઢળક ઉર્જા છે, ધારે તે મેળવી શકેઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી

વડોદરાઃ કારેલી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ યુવા શિબીર પ્રસંગે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવેલ કે આ શિબિર જીવન સુધારણા માટે છે. શિબિર જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. યુવાનો પાસે અઢળક ઉર્જા છે. યુવાનો જે મેળવવા કે સિદ્ધ કરવા ધારે તે કરી શકે છે. માત્ર વ્યર્થ જીવવા માટે નહિ પણ કંઇક મોટી પ્રાપ્તિ માટેનું જીવન છે. યુવાનોએ અમૂલ્ય સમયનો સદ્દઉપયોગ કરવો જોઇએ આત્માને ઓળખી શકીએ તો પરમાત્માને પામી શકીએ પરમાત્માની પ્રાપ્તિ થાય તેવું જીવન જીવવા ગુરૂજીએ ઉપદેશ આપ્યાનું  અલૌકિકદાસજી સ્વામી જણાવે છે.

(4:15 pm IST)