Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બાયડ તાલુકાના ઓઢા ગામે પીવાના પાણીની સમસ્યાથી રહીશોને હાલાકી રાધનપુરના વડપાસર ગામની તળાવમાં પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા

રાધનપુર:તાલુકાના વડપાસર ગામના તળાવમાં પ્રેમી યુગલના હાથે રૃમાલ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક અનુમાનમાં યુવક અને યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હોઇ આખરે પ્રેમી યુગલે સજોડે આપઘાત કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આજે બપોરે ગામ તળાવ વડપાસરમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટયા હતા અને આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવીને તપાસ હાથ ધરી હતી. જોક પોલીસને તપાસમાં આ યુવક યુવતિ બન્ને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ ઘરવાળાઓને આ સંબંધ પસંદ ન હતો અને તેને લઈ તેઓએ આ પગલું ભર્યુ હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસની તપાસમાં યુવકનું નામ નિકુલ પરમાર  નનાપુરા ગામનો અને યુવતી સીનાડ ગામની કાજલબેન મકવાણા હોવાનું ખુલ્યું છે.  આ પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ રૃમાલથી બાંધી સાથે ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ શહેરીજનોને થતા ટોળે ટોળા ઉમટી પડયા હતા. પોલીસે પી.એમ. માટે રાધનપુર રેફરલમાં બન્ને મૃતદેહ મોકલી આપ્યા હતા.
 

(5:35 pm IST)