Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પાલનપુર સબ જેલમાં કેદીઓને માસ્કનું વિતરણ કરાયું

326 થી વધારે કેદીઓ અને જેલના સ્ટાફ સહીત 400 જેટલા માસ્ક વિતરણ

પાલનપુર:કોરોના મહામારી વચ્ચે નિસ્વાર્થ સેવા સંગઠન પાલનપુર દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા જેલ ખાતેના કેદીઓને માસ્કનું વિતરણ કરાયું હતું.

ગુજરાત સરકાર અને ભારત સરકાર કોરોના વાયરસ અંગે ખૂબ જ ચિંતિત છે. ત્યારે પાલનપુર સબજેલ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કેદીઓને માસ્કનું વિતરણ કરાયું હતું. કોરોના વાયરસ અંતર્ગત 326 થી વધારે કેદીઓ અને જેલના સ્ટાફ સહીત 400 જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હોવાનું સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરે જણાવ્યું હતું. આ પ્રસંગે જેલ અધિક્ષક ગોહિલ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

(12:59 am IST)