Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સાણંદ તાલુકાના ભાવનપુરમાં પ્રેમિકાને મળવા માટે બોલાવી મિત્રો પાસે ઢીમ ઢળાવનાર પ્રેમીને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી

સાણંદ: તાલુકાના ભાવનપુર ગામના ખેડૂત અનિલ બેચરભાઈ પટેલ (..૪૮) ગઈકાલે પોતાની ગાડી લઈને ચેખલા ગામ તરફ નીકળ્યા હતા. ત્યારબાદ તેઓની લાશ સુજાતપુરા રોડ ઉપર નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. તેમના માથાના ભાગે અજાણ્યા શખસોએ જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડતાં તેમના ભાઈ પ્રમુખભાઈ બેચરભાઈ પટેલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા તપાસ આરંભી હતી. દરમિયાન ઘટનાને પગલે મહેસાણાના પોલીસ અધિક્ષક મનિષસિંહ, એલસીબી પીઆઈ એસ.એસ. નિનામા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કર્યા બાદ કેટલાક શકમંદોની પૂછપરછ આરંભી હતી. જેમાં ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અનીલ પટેલનું તેમની સ્ત્રી મિત્રએ પોતાના સાથીઓ સાથે મળીને હત્યા કરી હોવાનું ખુલતાં કેસમાં સંડોવાયેલા શ્યામલ ગૌસ્વામી, કિરણ ઠાકોર તેમજ સ્ત્રી મિત્રની પોલીસે ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરતાં જણાવ્યું હતું કે મૃતક વારંવાર લગ્ન કરવાની જીદ કરતો હોવાથી તેનું કાસળ કાઢી નાખવા માટે અગાઉથી કાવતરૃ ઘડયું હતું. તે અંતર્ગત સ્ત્રી મિત્રએ અનિલ પટેલને બોલાવી તેઓ બન્ને જણા ફુલેત્રા જતા રોડ ઉપર કેનાલ ઉપર બેઠા હતા. તે વખતે ત્રણેય જણાએ ભેગા થઈ ખેડૂતની હત્યા કરી નાખી હતી.

(6:16 pm IST)