Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અમદાવાદના ઘાટલોડિયામાં નકલી અધિકારીની ઓળખ આપી વેપારીને ધમકાવનાર શખ્સ પોલીસના સકંજામાં

અમદાવાદ: શહેરના ઘાટલોડિયામાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા વેપારીને ક્રાઇમબ્રાંચ અધિકારીની ઓળખ આપીને એક શખ્સે ધમકી આપી હતી. પોલીસે ભરત ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં સોલા રોડ ભૂયંગદેવ પાસે શાકુંતલ બંગલોઝમાં રહેતા અને વિજાપુર તથા અંકલેશ્વરમાં કેમિકલની ફેકટરી ધરાવતા હર્ષદભાઇ.બી.પટેલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ત્રણ વર્ષ પહલા તેઓ ઘાટલોડિયામાં અર્જુન ટાવરમાં રહેતા હતા. તેમના જૂના મકાને તા. ૧૫ના રોજ એક અજાણી વ્યકિત સીઆઇડી ક્રાઇમ અધિકારીની ઓળખ આપીને ગઇ હતી અને હર્ષદભાઇ પટેલ અંગે પૂછપરછ કરીને તેમણે રૃા. ૫૨ લાખનું ચીંટીંગ કર્યું હોવાથી તપાસ માટે આવ્યા હોવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી.

(5:41 pm IST)