Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

૫૪૩ લોકસભા ક્ષેત્રોમાં તા. ૨૪થી ૨૬ ભાજપના વિજય વિશ્વાસ સંમેલન

કેસરિયા કાર્યકરોને જીતનો મંત્ર અપાશે

રાજકોટ તા.૨૦: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા. ૨૪ થી ૨૬ વચ્ચે દેશના તમામ ૫૪૩ સંસદીય મતક્ષેત્રમાં વિજય વિશ્વાસ સંમેલનો યોજાનાર છે. જયાં ભાજપે સાથી પક્ષોને સમજુતીમાં બેઠક ફાળવી હોય તેવી બેઠકોને બાદ કરતા સંમેલનનો આંકડો ૪૮૦ આસપાસ થનાર હોવાનું પાર્ટીએ જાહેર કર્યું છે.

લોકસભા ચૂંટણી જાહેર થયા પછી દેશવ્યાપી સંમેલનનો ભાજપનો પ્રથમ દોર છે. સંમેલનમાં કેસરિયા કાર્યકરોને જીતનો મંત્ર અપાશે. જે તે લોકસભા ક્ષેત્ર બહારના નેતાઓ સંમેલનને સંબોધશે સંમેલનથી વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ થશે.

(4:00 pm IST)