Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જવાહર ચાવડા અને હકુભા દિલ્હીની મુલાકાતે

મોદીને મળી જૂનાગઢ-જામનગર બેઠકની ચર્ચા કરે તેવી સંભાવના

રાજકોટ તા.૨૦: રાજ્યમંત્રી મંડળમાં હમણાં જ સ્થાન પામેલા કેબીનેટ મંત્રી જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દિલ્હીની મુલાકાતે ગયાનું જાણવા મળે છે. ત્યાં બન્ને વડાપ્રધાન શ્રી મોદીને અને ભાજપના અન્ય નેતાઓને મળી જૂનાગઢ અને જામનગર લોકસભાની બેઠકની ઉમેદવાર પસંદગીની ચર્ચા કરે તેવી સંભાવના છે.

(3:54 pm IST)