Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગુજરાતની ૨૬માંથી ૪ નામો કોંગ્રેસે જાહેર કરી દીધા છેઃ ૮ નામો ઉપર આજે કોંગ્રેસ કમિટિ અંતિમ મ્હોર મારશે

અમદાવાદ તા. ૨૦ : કોંગ્રેસની CEC (સેન્ટ્રલ ઇલેકશન કમિટિ) તરફથી આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના આઠ નામની જાહેરાત કરવામાં આવશે. સાંજે મળનારી સીઈસીની બેઠક દરમિયાન ગુજરાતની આઠ બેઠકના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે. સીઈસી તરફથી કોના નામ પર મ્હોર મારવામાં આવી શકે છે. બારડોલીની બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.

મળેલી માહિતી પ્રમાણે કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી, પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર, ગાંધીનગર બેઠક પરથી સી.જે. ચાવડા, નવસારી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.

આ પહેલા કોંગ્રેસ તરફથી ગુજરાતની ચાર બેઠક માટે નામ જાહેર થઈ ચુકયા છે. જે પ્રમાણે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમાર, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર બેઠક પર રણજીત રાઠવા ચૂંટણી લડશે.

(3:42 pm IST)