Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચૂંટણી પ્રચારમાં મીમીક્રી કરવી પણ આચરસંહિતાનો ભંગ ગણાશે :ગાંધીનગર જિલ્લા કલેકટરનું જાહેરનામું

સ્ટાર પ્રચારકોની જેમ છટા કે સ્ટાઈલથી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન નહીં કરી શકાય

ગાંધીનગર :આગામી લોકસભા ચૂંટણીમાં હવે કોઈ નેતાની મીમીક્રી કરતાં કોઈ રાજનેતાઓ કે સ્ટાર ચૂંટણી પ્રચારક નહીં જોવા મળે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રગટ કરીને ચૂંટણી પ્રચારમાં મીમીક્રી કરવી તે આચારસંહિતા ભંગ ગણાવ્યુ છે.

  લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારકોની મીમીક્રી કરીને પણ પ્રચાર કરવાનો પ્રયોગો થતા હોય છે. સ્ટાર પ્રચારકોની જેમ છટા કે સ્ટાઈલથી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જોકે હવે આ પ્રકારનો પ્રયત્ન આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવશે.

(9:04 pm IST)