Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

લાચાર બાપ 24 કલાક પુત્રની લાશ સામે બેસી રહ્યાં :સૌ જોતા રહ્યાં પણ કોઈ મદદે ના આવ્યું ;કાંધ આપવા બે હાથ પણ લાંબા ના કર્યા

આણંદના ઉમરેઠનો હૈયું હચમચાવતો કિસ્સો ;ખાનગી ટીવી ચેનલના સભ્યોએ અગ્નિસંસ્કાર માટે જોગવાઈ કરી

 

આણંદ:કોઈની લાચારીને અવગણીને માનવતાને પણ નેવે મૂકી જનારા લોકોની બેપરવાહ વલણનો એક કિસ્સો બહાર આવ્યો છે આણંદના ઉમરેઠમાં એક પિતા પોતાના પુત્રની લાશ સાથે ચોવીશ કલાક સાથે બેસી રહ્યા હતા.કારણ હતું કે, એક મજૂરી કરનાર અને એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવતો વ્યક્તિ હતો.

 ઉમરેઠમાં છૂટક મજૂરી કરીને બે ટંકનો રોટલો રળી ખાતા પિતા સાથે કાળજું કંપી ઉઠે તેવી ઘટના બની , પિતા-પુત્ર ઘણા લાંબા સમયથી ઉમરેઠમાં છૂટક મજૂરી કરીને પોતાના પેટનો ખાડો પૂરતા હતા. પરંતુ એક દિવસ મોત પિતાને મૂકીને પુત્રને લઈને ચાલી ગઈ પરંતુ લાચાર પિતા તેટલા સક્ષમ નહતા કે, પુત્રને અગ્નિદાહ આપી શકે. પુત્રની લાશને લઈને બેસેલા પિતાને લોકો જોતા હતા અને તેમની ગરીબીને જોઈને આગળ ચાલતા થઈ જતાં હતા પરંતુ કોઈએ મૃતક પુત્રને કાંધ આપવા માટે બે હાથ પણ લાંબા કર્યા નહતા.

   જોકે તેવામાં એક ખાનગી ટિવી ચેનલના સભ્યોની નજર લાચાર પિતા પર પડી હતી અને પોતાની ફરજ નિભાવતા મૃતક યુવકના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવા માટેની બધી જોગવાઈ કરી આપી હતી.નગરપાલિકાની સબવાહીની સાથે ચાર કાઉન્સિલરને મદદ માટે બોલાવ્યા હતા અને અંતે ગરીબ અને લાચાર પિતાના પુત્રનું અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું

(12:25 am IST)