Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આણંદમાં આવેલ રામજી મંદિરમાં રાત્રીના સુમારે 13 હજારની મતાની તસ્કરી કરી તસ્કરો રફુચક્કર

આણંદ:શહેરના કેરાકેન કોમ્પલેક્ષની બાજુમાં આવેલા રામજી મંદિરમાં ગત ૧મી તારીખના રોજ રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ તાળા કાપીને અંદરથી ૧૩ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ચોરીની મળતી વિગતો અનુસાર આણંદ શહેરના રૂપાપુરા વિસ્તારમાં આવેલા કેરાકેન હાઉસીંગ કોમ્પ્લેક્ષની બાજુમાં રામજી મંદિર આવેલું છે. ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ તાળુ કાપી નાંખીને અંદર પ્રવેશ કરી બે પીત્તળના મોટા ઘંટ, પિત્તળની પંચમુખી આરતી, એમ્પ્લીફાયર, માઈક, બે સ્ટીરીયો, દાન પેટી, પંખો વગેરે મળીને કુલ ૧૩ હજારની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે પૂજારી અનીલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ મંદિરે પૂજા કરવા માટે જતાં તેમને ચોરી થયાનું માલુમ પડ્યું હતુ. જેથી પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તેમની ફરિયાદ લઈને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.

(5:32 pm IST)