Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટની તબિયત નાજુક :હોસ્પિટલમાં દાખલ કરાયા

ત્રણેક દિવસની સારવાર બાદ સોમવારે ઘરે લવાયા હતા આજે મોડીસાંજે ભારે નબળાઈ,ખાંસી અને હાફ ચડતા ફરીથી હોસ્પિટલમાં લઇ જવાયા

 

અમદાવાદ :જાણીતા ગુજરાતી  હાસ્યલેખક વિનોદ ભટ્ટની તબિયત નાજુક છે.તેઓને  યુરિયાનું પ્રમાણ વધી જવાથી તેમને મીઠાખળી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની તબિયત હાલ સ્થિર છે

  હાસ્યલેખક  વિનોદભાઈ ભટ્ટને ઘણા સમયથી કિડનીની તકલીફ છે છેલ્લાં કેટલાંક દિવસથી ફેફસામાં પાણી ભરાવાની તકલીફ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણેક દિવસની સારવાર પછી સોમવારે તેમને ઘરે લાવવામાં આવ્યા. પરંતુ મંગળવારે તેમને ભારે નબળાઈ, ખાંસી અને હાંફ ચડવાથી મોડી સાંજે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદ ભટ્ટના પત્ની નલિનીબહેનનું ગત પખવાડિયે અવસાન થયું પછી તેમનું સ્વાસ્થ્ય વધુ નબળું પડતું રહ્યું છે.

(10:59 pm IST)