Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં બંધ મકાનનો લાભ લઇ તસ્કરોએ 1.20 લાખની કિંમતના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરે ડુપ્લિકેટ ચાવી વડે મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા રૂપિયા 2 લાખ અને 1.20 લાખની કિંમતની સોનાની બે વીટીની ચોરીનો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદીએ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઈ જૈન ઇલેક્ટ્રિકલ સ્પેરપાર્ટનો વેપાર કરે છે. તેમની પત્ની અને દીકરી બેંગલોર ખાતે હોય લેવા તા.13મી જાન્યુઆરીના રોજ ગયા હતા અને માતા પિતા ઘરે રહ્યા હતા. આશિષભાઈ પરત ફરતા તિજોરીમાં મૂકેલી બે સોનાની વિંટી મળી આવી ન હતી જે અંગે તેમની માતાએ જણાવ્યું હતું કે, તા.15મી જાન્યુઆરીના રોજ સાંજે પિતાની તબિયત લથડતાં ઘરને તાળુ મારી દવાખાને ગયા હતા જ્યાંથી પરત ફરતા મકાનનું તાળું ખુલ્લું હતું પરંતુ આશિષભાઈ ઘરે હાજર ન હોવાથી પોલીસ ફરિયાદ કરી ન હતી. 

(5:13 pm IST)