Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મારી સારવાર મારા ભારતમાં થવી જોઈએ : પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ના સ્વાસ્થ્યના સમાચાર પૂછતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર સહિત આફ્રિકા - કેન્યા ના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ અંતર્ગત સંત મંડળ સહિત પધાર્યા હતા , જ્યાં તેઓશ્રી નું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેઓશ્રી એ જણાવ્યું હતું કે મારી સારવાર મારા ભારતમાં જ થવી જોઈએ તેઓ આગ્રહ રાખ્યો હતો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ભારત - મુંબઈ ખાતે પરત ફર્યા હતા.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના  આગ્રહથી મુંબઈ ખાતેની ભાટિયા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા; ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખબર પડતાં તેઓશ્રી એ ફોન દ્વારા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સ્વાસ્થ્ય ના સમાચાર પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે જરૂર પડે સરકારશ્રી દ્વારા મેડિકલ બાબતે જે તે સવલતની જરૂર પડશે તે પણ પૂરી પાડવામાં આવશે.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની છેલ્લા ૧૩ (તેર) દિવસની ગંભીર માંદગી બાદ હવે તેઓશ્રીનું સ્વાસ્થ્ય સુધારા ઉપર છે.

 

(11:37 am IST)