Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સુરતઃ મોબાઈલ ફોન ખોવાઈ જતાં 19 વર્ષીય યુવાને ઠપકો મળવાના ડરથી ગળે ફાંસો ખાધો

પિતાએ નવો મોબાઈલ લઈ આપ્યાના થોડા જ દિવસોમાં ખોવાઈ ગયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં રહેતો 19 વર્ષીય યુવાનો મોબાઈલ ફોન ખોવાઈ જતાં માતા- પિતા ઠપકો આપશે તેવા ડરથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી -2, પ્લોટ નંબર 191માં રહેતા રામલાલ રાઠોડ ઉંટ લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 19 વર્ષીય પુત્ર પ્રમોદ રાઠોડે પિતા પાસેથી નવો મોબાઈલ ફોન લેવાની માંગ કરતો હતો. જયારે પિતાએ નવો માબાઇલ ફોન લઈ આપતા થોડા દિવસ બાદ પ્રમોદ પાસેથી મોબાઈલ ફોન ખોવાઈ જતા ટેન્શનમાં આવી ગયો હતો કારણ પ્રમોદ થી અગાવ પણ એક મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. જેથી પ્રમોદ રાઠોડ માતા પિતાના ઠપકો આપશે એના ડર થી પોતાના મકાનમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(7:51 pm IST)