Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વડોદરાના પોઇચા નજીક વિધિ દરમ્યાન નર્મદામાં ડૂબી જતા યુવકના મૃતદેહની એનડીઆરએફની મદદથી શોધખોળ કરાઈ: અન્ય બેની તપાસ શરૂ

વડોદરા:પોઇચા ખાતે વિધિ કરવા આવેલા સુરતના જોષી પરિવારના ત્રણ પુત્રો નર્મદામાં ડૂબી જવાના બનેલા બનાવમાં આખરે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે.

પોઇચા ખાતે ગઇ તા.૧૬મીએ બપોરે નારાયણ બલિની વિધિના પિંડદાન કરવા ગયા બાદ નાહતી વખતે નર્મદામાં ડૂબી ગયેલા ત્રણ યુવકોને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાયા બાદ આજે એનડીઆરએફની ટીમે શોધખોળ શરૃ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે નર્મદાના કિનારે આવેલા વડખડ ગામે એક મૃતદેહ મળી આવ્યો હતો.કેટલાક માછીમારોએ આ અંગે પરિવારને જાણ કરતાં તેઓ પહોંચી ગયા હતા અને મૃતદેહને ઓળખી કાઢ્યો હતો.મૃતક દિપકભાઇ જોષીના લાપત્તા બે પુત્રો પૈકી નિમેષ (ઉ.વ.૨૮) હોવાનું જણાઇ આવ્યું હતું.તેના મૃતદેહને રાજપીપળા ખાતે કોલ્ડરૃમમાં મુકવામાં આવ્યો છે.

(5:38 pm IST)