Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વિસનગરની મહિલાનું અપહરણ કરી મુંબઈ લઇ જઈ શખ્સે ત્રણ મહિના સુધી હવસ સંતોષી

વિસનગર: તાલુકાના એક ગામડાની પરિણિતાનું અપહરણ કર્યા બાદ તેણીને મુંબઈ લઈ જઈ ત્યાં  ત્રણ મહિના સુધી ગોંધી રાખીને તેની ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

  વિસનગર તાલુકાના એક ગામડામાં રહેતી પરિણિતા ત્રણેક માસ પહેલાં પોતાના ગામના બસ સ્ટેન્ડે ઉભી હતી. તે વખતે માણસા તાલુકાના ગલથરાનો ઠાકોર ઝીલાજી ઉર્ફે ઝાલાજી મનુજી અને ગોઠવાના ચેતનાબેન રમેશજી ઠાકોર ગાડી લઈને આવ્યા હતા. તેમણે પરિણિતા સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને વડનગર દવાખાને આવવું હોય તો ગાડીમાં બેસી જાઓ તેમ કહેતા પરિણિતા બેસી ગઈ હતી.

ત્યારબાદયુવતિને પહેલાં ગોઠવા લઈ ગયા હતા અને ત્યાંથી મુંબઈ ખાતેના ખાર વિસ્તારમાં એક રૃમમાં લઈ જઈ અહીં તેણીને ગોંધી રાખી હતી પછી તેના પતિને મારી નાંખવાની ધમકીઓ આપી પરિણિતા ઉપર સતત ત્રણ મહિના સુધી  બળાત્કાર ગુજાર્યો હતો તેમજ તેણી પાસેથી સોના-ચાંદીના દાગીના પણ કાઢી લીધા હતા.

 

(5:05 pm IST)