Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભરૂચના શાહપુરા ગામમાં 16 વર્ષની સગીરા પર ત્રણ હવસખોરે ગુજાર્યું દુષ્કર્મ :ત્રણેયની ધરપકડ

નાંદ ગામના યુવાન બાદ અન્ય બે યુવાનો સામે ફરિયાદ :સગીરા સગર્ભા બની

ભરૂચ: તાલુકાના શાહપુરામાં નાંદ ગામના યુવાને ખેતરમાં ચાર કાપતી સગીરા સાથે દુષ્કર્મ કરતા મામલો નબીપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે હવસખોર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.સગીરાએ નાંદ ગામના જ અન્ય બે યુવાનોએ પણ દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા પોલીસે ત્રણે હવસખોરોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે

  મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લાના શાહપુરા ખાતે આશરે સાત માસ પૂર્વે ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર થયો હતો નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ શાહપુરા ગામની સગીર બાળા સીમમાં આવેલ ખેતરમાં ઘાસ કાપવાનું કામ કરી રહી હતી.જ્યા તકનો લાભ ઉઠાવી નાંદ ગામના રહીશ સતીષ શનાભાઈ વસાવાએ સગીરાને પાછળથી પકડી જમીન પર પછાડી મોઢું બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સાત માસ પૂર્વે બનેલી ઘટનામાં દુષ્કર્મની પીડિત સગીરાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નાંદ ગામના જ અને સતીષ વસવાના મિત્રો રાહુલ રણજિત વસાવા અને શિવા પૂજા વસાવાએ પણ દુષ્કર્મ કર્યું હોવાનો ઘટ:સ્ફોટ કર્યો હતો. જેના આધારે નબીપુર પોલીસે ત્રણે હવસખોર યુવાનોની ધરોકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે.

 

(12:59 pm IST)