Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આણંદ નજીક લાંભવેલમાં મહિલા સાથે ગેંગ રેપ કરી લાશને જાળીઓમાં નાખી દેનાર નરાધમને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી

આણંદ:પાસેના લાંભવેલ ગામની મોટી નહેર નજીકના ઝાડી-ઝાંખરામાંથી છ દિવસ પૂર્વે હત્યા કરાયેલ હાલતમાં અજરપુરાની મહિલાની લાશ મળી આવી હતી. જોકે, લાશના પીએમ બાદ મહિલા સાથે ગેંગ રેપ કરી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા તેના વિશેરા એફએસએલમાં મોકલાયા હતા અને આણંદ જિલ્લાની પોલીસની પાંચ ટીમો દ્વારા ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી. 

ગત તા. ૧૨મી ઓક્ટોબરના રોજ આણંદ પાસેના લાંભવેલ ગામની મોટી નહેર નજીક આવેલ રેલ્વે ગરનાળા પાસેના ઝાડી-ઝાંખરામાંથી ત્રીસથી પાંત્રીસ વર્ષના આશરાની એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે આણંદ શહેર પોલીસની ત્રણ તથા એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ હાથ ધરતા મરણ જનાર મહિલા આણંદ તાલુકાના અજરપુરા ગામની ટીનીબેન રમણભાઈ ગોહેલની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાના પીએમ રિપોર્ટમાં અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મહિલાના ગુપ્ત ભાગે પણ ઇજાના નિશાન મળી આવતા ગેંગ રેપની આશંકાએ તેના વિશેરા એફએસએલમાં મોકલાયા હતા અને બીજી બાજુ આ ચકચારી દુષ્કર્મ વિથ હત્યા કેસનો ભેદ ઉકેલવા આણંદ જિલ્લાની એસઓજી, એલસીબી સહિત પાંચ જેટલી ટીમોએ કવાયત હાથ ધરી હતી. જોકે આણંદ શહેરમાં લગાવામાં આવેલા સીસી ટીવી કેમેરામાં શકમંદ ગણાતા બે શખ્સો (૧) સુરેશ વિઠ્ઠલ પરમાર (રહે. બાંધણી, રઢુપુરા) તથા (૨) વિષ્ણુ શંકર પરમાર (રહે. બાકરોલ)ની શંકાને આધારે પૂછપરછ કરાતા જેમાં આ બંને શખ્સોએ મૃતક ટીનાબેન સાથે કુકર્મ આચરવા લાભવેલની નહેર પર અવાવરૃ જગ્યા પર લઈ ગયા બાદ ઉપરા છાપરી બળાત્કાર ગુજારી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. જોકે, પોલીસે બંને નરાધમોના કોવિડ ટેસ્ટ કર્યા બાદ વિધીવધત રીતે ધરપકડ કરશે.

(5:31 pm IST)