Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાંચમા માળેથી મોતની છલાંગ લગાવીઃ અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા તર્ક-વિતર્ક

વડોદરાઃ શહેરના અલકાપુરી રેલવે ગરનાળા પાસે સુદર્શન હોટલ આવેલી છે. જે છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. રવિવારે હોટલના પાંચમાં માળેથી એક અજાણ્યા યુવકે અર્ધનગ્ન હાલતમાં મોતની છલાંગ લગાવી હતી.

યુવકને ગંભીર ઈજા પહોંચતા દ્યટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ સાથે જ પોલીસે મૃતક યુવકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી હતી. તેમજ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

(2:50 pm IST)