Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમદાવાદના વેપારીના અપહરણ-ખંડણી કેસમાં જસદણના ઉદિત બાવળીયાની ધરપકડ

વેપારી અલ્તાફહુસેનના અપહરણનો પ્લાન એક વખત નિષ્ફળ ગયો'તો

રાજકોટઃ અમદાવાદના વેપારી અલ્તાફહુસેન નાથાણીના અપહરણ અને ખંડણી પ્રકરણમાં જસદણ પોલીસે કાવત્રામાં સામેલ ઉદિત શૈલેષભાઈ બાવળીયાની ધરપકડ કરી હતી અગાઉ પણ અપહરણનું કાવત્રુ ઘડાયુ હતુ તેમા ઉદિત સામેલ હતો પરંતુ વેપારી અલ્તાફહુસેન સાથે તેની પત્નિ અને પુત્ર સાથે હોય નિષ્ફળતા મળી હતી ત્યાર બાદ અન્ય આરોપીઓને ભગાડવામાં પણ મદદગારી કરી હતી. મુખ્ય સૂત્રધાર વસીમ ઈકબાલ કથીરી તથા અન્ય ૪ શખ્સોની જસદણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાય છે.

(3:25 pm IST)