Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમિતભાઇ શાહ રાત્રે સોમનાથમાં : કાલે સવારે દર્શન-આરતી-પૂજનનો લાભ લેશે

જુનાગઢ, તા. ૧૯ : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા. ૧૯ના જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા. ૧૮ ના ૧૭-૪પ કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યાર બાદ તેઓ ૧૯-૦૦ કલાકે સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે સોમનાથ દાદાના દર્શન અને આરતી પૂજન કરશે. તા. ર૦ના રોજ ૧૧-૧પ કલાકે કેશોદથી અમદાવાદ જવા રવાના થશે.

ત્યારબાદ અમદાવાદથી સીધા દિલ્હી જશે તેવું જાણવા મળે છે. અમિતભાઇના રરમીના જન્મદિન નિમિત્તે અમદાવાદ અને આણંદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:46 am IST)