Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

૨.૬૦ કરોડના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી

મુખ્યમંત્રી દ્વારા મંજુરી અપાઈ

અમદાવાદ,તા.૧૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાના જસદણમાં ભાદર નદી પર કોઝ-વે સ્થળે મેજર બ્રિજ તેમજ બોક્ષ કલ્વર્ટ નાળું બનાવવા માટે ૨ કરોડ ૬૦ લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે જસદણ નગરમાં આ સ્થળે બ્રિજની સુવિધા ન હોવાથી ભાદર નદીના  સામે કાંઠે વસતા અંદાજે ૨૫ ટકા નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી તેમજ ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ દુવિધા પડતી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જસદણમાં ડો. આંબેડકરનગરથી લોહિયાનગર તરફ કોઝ-વે સ્થળે મેજર બ્રિજ અને વિંછીયા રોડ પર શિવનગર સોસાયટી મેઇન રોડ પાસે બોક્ષ કલ્વર્ટ નાળું બનાવવાની આવેલી લોકમાંગણીનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ ૨.૬૦ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

(11:10 pm IST)