Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગાંધીનગરમાં ૨૫ હજાર દિવડાઓની મહાઆરતી : નેતાઓ મોજથી ગરબા રમ્યા

 ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં  આઠમા નોરતે ગુજરાતના રાજયપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી, કેન્દ્રીય રાજય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, સમદર્શન આશ્રમના પૂજય ગુરૂમા, ગાંધીનગરના કલેકટર શ્રી એસ.કે.લાંઘા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ તેમના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન ધાનાણી સાથે મોજથી ગરબા ગાયા હતા.  ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં રાત્રે સૌ ખેલૈયાઓ અને નગરજનો સહિત ૨૫,૦૦૦ લોકો એ ઉપસ્થિત રહીને માતાજી ની મહાઆરતી કરી હતી. ૨૫  હજાર દીવાઓથી લોકોએ સિંહવાહિની મા અંબાજીની રચના કરી હતી.  સમગ્ર વાતાવરણમાં  દિવ્ય અને અલૌકિક અનુભૂતિ જોવા મળતી હતી.

(3:40 pm IST)