Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજ્યના 31 જિલ્લાઓ અને 6 મનપામાં કોરોનાનો એકપણ કેસ નહીં : નવા કેસ ફક્ત બે શહેર અને બે જિલ્લામાં નોંધાયા

અમદાવાદ :આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. બીજી તરફ 15 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના 31 જિલ્લા અને 6 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત બે શહેર અને બે જિલ્લાના છે જે પૈકીના સુરત  શહેરમાં 4, વડોદરા શહેરમાં 2, વડોદરા જિલ્લામાં 2, વલસાડ જિલ્લામાં 1 કેસનો સમાવેશ થાય છે.

(10:48 pm IST)