Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

પીએમ મોદી ના સેવા સમર્પણ અભિયાન હેઠળ રાજપીપળા સરકારી ઓવરે સફાઈ કાર્યક્રમ યોજાયો

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજરોજ રાજપીપળા સરકારી ઓવરા સહિત આસપાસ ની જગ્યાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ હેઠળ રાજપીપળા ખાતે નદી તળાવ ની સફાઈ, પ્લાસ્ટિકનો કાચરો હટાવવાની સાથે સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ સવારે 11 વાગે રાખવામાં આવ્યો હતો જેમાં રાજપીપળા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમણ સિંહ રાઠોડ, મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા આસિફભાઇ તાઇ, ઉત્કર્ષ પંડ્યા અને રાજપીપળા શહેર ભાજપ કાર્યકરો તથા નગરપાલિકાના હોદ્દેદારોમાં આશિષ ડબગર,ધર્મિષ્ઠાબેન પટેલ તથા કમલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

(10:13 pm IST)