Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજપીપળામાં ૭ કેસ સાથે નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૫૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જેમાં રાજપીપળા માં ૦૭ કેસ સાથે જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ ના નોંધાયા હતા.
નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રજપૂત ફળીયા-૦૩,મોટા માછીવાડ-૦૧, વડીયા પેલેસ-૦૧, આદિત્ય-૦૧, રાજેન્દ્રનગર સોસાયટી-૦૧ નાંદોદ તાલુકાના ગોપાલપર-૦૧,વડીયા-૦૧, પ્રતાપનગર-૦૨ ગરુડેશ્વર તાલુકાના સાજરોલી-૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દીઓ દાખલ છે.આજદિન સુધી જિલ્લામાં કુલ ૭૯૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૫૫ પર પહોચ્યો છે.આજે વધુ ૪૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:50 pm IST)