Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સુરતના નાનપુરા વિસ્તારમાં સોસાયટીમાં બીજા માળેથી નીચે પટકાતા શખ્સનું ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત:નવી સિવિલ થી મળેલી વિગત મુજબ નાનપુરા વિસ્તારમાં આવેલા સુફલામ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાકેશભાઈ અનિલભાઈ ગાંધી શુક્રવારે બપોરે ઘરના બીજા માળેથી અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. 

જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે રાકેશભાઈ ને એક સંતાન છે. તે પ્રાઇવેટ નોકરી કરતા હતા. અંગે અઠવા લાઇન્સ પોલીસે તપાસ આદરી છે.

(5:33 pm IST)