Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતમાં સિવિલ જજના બંગલાને નિશાન બનાવી તસ્કરોએ આંઠ લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસે તપાસ હાથ ધરી

આણંદ:જિલ્લાના નવાબી નગર ખંભાત શહેરના ગાયત્રીનગર ખાતે રહેતા સીવીલ જજના બંગલાને તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૮.૦૯ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી લઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે ખંભાત શહેર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત શહેરના ગાયત્રી નગરમાં આવેલ શીવકૃપા સદનમાં રહેતા ભાવિનકુમાર જીતેન્દ્રભાઈ પંડયા ખંભાતની કોર્ટમાં પ્રીન્સીપાલ સિનિયર જજ તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ તેઓના સબંધીની તબિયત સારી હોવાાૃથી તેઓ પોતાના મકાનને તાળુ મારી પરિવાર સાથે અમદાવાદ ખાતે ગયા હતા. જો કે તેઓના સબંધીનું મૃત્યુ થતાં ભાવિનકુમાર સહિતનો પરિવાર ત્યાં રોકાયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. 

(5:24 pm IST)