Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સુરતના અમરોલી વિસ્તારમાં બીમારીથી કંટાળી આધેડે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:પ્રાપ્ત વિગત મુજબ અમરોલીના ગિરનાર સોસાયટી પાસે આવેલા કાળીદાસ નગરમાં રહેતા 64 વર્ષીય સુરેશભાઇ છોટુભાઈ પટેલ ગઈ કાલે સવારે ઘરમાં છઠના લોખંડના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે સુરેશભાઈને સુગરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળીને પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. તેમને બે સંતાન છે. તે નિવૃત્ત જીવન ગાળતા હતા . અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)