Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતના ઉધનાના પાંચ સભ્યો ઘરની બહાર ઓટલા પર રહેવા મજબુર

અઢી ફૂટ શૌચાલય બનાવવાના મામલે તંત્રએ ઘરની સીલ મારી દીધું

 

સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના ઝોનના સ્ટાફે ઘર સીલ કરી દીધું. જેને કારણે પરિવાર ઘર બહાર રહી રહ્યું છે.

(10:37 pm IST)