Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વડોદરામાં નરાધમ પતિએ પત્ની પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા કંટાળીને પત્નીએ પિયરનો સહારો લીધો: સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં લગ્નેતર  સંબંધો રાખનાર પતિ દ્વારા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અસહ્ય ત્રાસથી કંટાળીને પિયરમાં આવી ગયેલી પત્નીએ પતિ અને સાસરિયા વિરૃધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે તરસાલી સુશેન રીંગ રોડની નંદનવન સોસાયટીમાં રહેતી અલકાના લગ્ન ફેબુ્રઆરી ૨૦૦૨માં દાહોદના જેસાવાડા રહેતા અતુલ સચિનલાલ જયસ્વાલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના પાંચ વર્ષ સુધી સંસાર જીવન  વ્યવસ્થિત ચાલ્યું હતુ. પરંતુ અતુલને અન્ય મહિલાઓ સાથે સંબંધો હોય  પત્નીને મારઝૂડ કરવાનું શરૃ કર્યું હતુ. પરિણીતાએ સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદને આ અંગે વાત કરી હતી. પરંતુ તેઓ   દ્વારા વધુ ત્રાસ ગુજારવામાં આવતો હતો.

(5:43 pm IST)