Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પાટણનાં ગુજરવાડામાં ખાળકુવામાં પડી જવાથી મોતનો ભોગ બનેલા ૬ મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડયું

પાટણ તા. ૧૯: જીલ્લાના સમીના ગુજરવાડા ગામે મહિલા ખાળકુવામાં ખઆબકતા તેને બચાવવા જતા પતિ સહિત પાંચના મૃત્યુ થયા હતા. આ વાતનાં આઘાતથી પાડોશી મહિલાનું પણ કરૂણ મૃત્યુ થયું હતું જે છ જણાની એકી સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

સમગ્ર વઢીયાર પંથકના નાડોદા સમાજમાં ગમગીનતા છવાઇ જવા પામી હતી. છ-છ નનામીઓ એકી સાથે નિકળતા આંસુઓનો દરિયો વહી રહ્યો હતો. કોણ કોને છાનું રાખે દરેકનાં હૃદયમાં શોકની કાલીમાં છવાઇ જવા પામી હતી.

અંતિમ વિધિમાં તમામને ટ્રેકટરમાં સ્મશાન સુધી લઇ જવાયા એક સાથે છ લોકોની અંતિમક્રિયા કરી હતી.

(4:07 pm IST)