Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતના પુણા વિસ્તારની સોસાયટીમાં મેલેરિયાનો રોગચાળો વકર્યો : 15 દિવસમાં 25 કેસ નોંધાયા

વોર્ડ ઓફિસમાં ડીડીટી પાઉડર ઉપલબ્ધ ન હોવાનો સ્થાનિક કોર્પોરેટરનો આરોપ

સુરત : દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ હવે સુરત શહેરમાં મેલેરિયાનો રોગચાળો વકર્યો છે. પુણા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા 15 દિવસમાં 25થી વધુ મેલેરિયાના કેસ નોંધાયા છે. વોર્ડ ઓફિસમાં ડીડીટી પાઉડર ઉપલબ્ધ ન હોવાનો સ્થાનિક કોર્પોરેટરનો આરોપ છે. આ ઉપરાંત સ્થાનિકોની પણ ફરિયાદ સામે આવતા કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશરને પત્ર લખીને જાણ કરી છે.

(1:21 pm IST)