Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમદાવાદમાં શીખ સમાજ દ્વારા ફિલ્મ ‘મનમરજીયા’માં ધુમ્રપાનના દ્રશ્યો સામે રોષ :કલેક્ટરને આપ્યું આવેદન

 

અમદાવાદ :શીખ સમાજના પ્રતિનિધિઓ દ્વારા ફિલ્મ મનમરજીયાનો વિરોધ કરાયો છે અને કલેકટરને આવેદન અપાયું છે ફિલ્મની અંદર શીખ સમાજની લાગણી દુભાય તે પ્રમાણેના દ્રશ્યો બતાવવામાં આવ્યા હોવાનું કહીને જણાવાઈ રહયું છે કે ફિલ્મમાં અમુક દ્રશ્યો શીખ યુવક તેમજ યુવતીઓને ધૂમ્રપાન કરતા તેમજ સિગારેટ પિતા અને શીખ ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા દર્શાવવામાં આવ્યા છે.

   શીખ ધર્મમાં ધૂમ્રપાન સખ્ત નિષેધ છે. જેના વિરોધમાં શીખ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું ફિલ્મને બેન કરવાની માંગણી કરવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેતા અભિષેક બચ્ચનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

(12:47 am IST)