Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સરકારે પોતાની નિષ્ફળતા છુપાવા અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થવા ન દીધીઃ પરેશ ધાનાણી

 

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના નિયમ 106 અંતર્ગત મંત્રીમંડળ વિરુદ્ધ ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ હતી, જેનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવીને વિરોધ કર્યો હતો, જેના કારણે અવિશ્વાસની દરખાસ્ત ચર્ચા પર લેવાતાં કોંગ્રેસ દ્વારા ગૃહનો વોક-આઉટ કરાયો હતો.

 નીતિનભાઈ પટેલે કોંગ્રેસની માગને નિયમ વિરુદ્ધની જણાવી હતી, જેના જવાબમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારે પોતાની નિષ્ફળતા છુપાવા માટે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થવા દીધી હતી

  ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપની સરકારના 22 વર્ષના શાસનમાં એક ગરીબ માતાનો દિકરો ભણીગણીનો ડોક્ટર-એન્જિનયિર કે વકીલ બને તે સ્વપ્ન હવે રોળાતું જાય છે. શિક્ષણના માફિયાકરણથી સરકાર સતત ગરીબ-મધ્યમવર્ગને લૂંટવાનો પ્રયાસ કરતી આવી છે. ગરીબના દિકરાને વગર ડોનેશને, સસ્તી ફીએ કે વિના મુલ્યે શિક્ષણ મેળવવું આજે દોહ્યલું બન્યું છે

(12:03 am IST)