Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રૂપાણી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ ગૃહમાં ચર્ચા નહી !

આજે સાંજે વિધાનસભા સત્રનું સમાપન

ગાંધીનગર, તા., ૧૯: વિધાનસભામાં કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવાનું જાહેર કર્યુ છે. કોંગ્રેસ દ્વારા સરકાર સામે આજે સાંજે અવિશ્વાસ પ્રસ્તાવ વિધિવત રજુ થાય તેવી શકયતા છે. પરંતુ સમયના અભાવે આ મુદ્દા પર ચર્ચા થશે નહિ તેમ જાણવા મળે છે.

કોંગ્રેસે સરકાર સામે ચર્ચા કરવાના હેતુથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું નક્કી કર્યુ છે. આજે સાંજે બે દિવસીય ગૃહ પુરૂ થઇ રહયુ ંછે. સમયના અભાવે ચર્ચાને અવકાશ નથી. ભાજપે પુર્વ સાવચેતી માટે તમામ ધારાસભ્યોને આખો દિવસ ગૃહમાં હાજર રહેવા કડક તાકીદ કરી છે.

(4:03 pm IST)