Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભાજપના શાસનમાં મોટા ભ્રષ્ટ્રાચારના કારણે નિકોલ અને બોપલ જેવી દુર્ઘટના:કોંગ્રેસ નેતા મનીષ દોશીના પ્રહાર

બોપલીની ઘટનાનો ઢાંકપિછોડો કરવા પ્રયાસ ત્યાં નિકોલની ઘટના શરમજનક

અમદાવાદના નિકોલમાં સ્લેબ તૂટવાની ઘટના બનતા  કોંગ્રેસના નેતા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે મનીષ દોશીએ કહ્યું કે  ભાજપના શાસનમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેને કારણે નિકોલ અને બોપલ જેવી દુર્ઘટના ઘટે છે.

  મનીષ દોશીએ વધુમાં કહ્યં કે હજુ બોપલની ઘટનાની તપાસ પૂર્ણ થઈ નથી અને સરકાર આ ઘટના અંગે ઢાંકપીછોડો કરી રહ્યાં છે. ત્યારે નિકોલની ઘટના ઘટી તે શરમજનક છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ઘટના અંગે દુખ વ્યક્ત કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે તેવી બાંહેધરી આપી છે.

   અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ નજીક મ્યુનિસિપલ પંપિગ સ્ટેશનની કન્સ્ટ્રકશન સાઈટ પર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો હતો. આ ઘટનામાં દબાયેલા 6 લોકોને ફાયર વિભાગે બહાર કાઢીને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના જ્યારે છત ભરાઇ રહી હતી ત્યારે બની હતી. છત ધરાશાયી થતા જ ફાયર વિભાગ અને 108 તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તાત્કાલીક બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ આ કામકાજ જેને સોંપાયુ છે તે ભૂપતાણી એસોસિએટ સામે ફરિયાદ નોંધાય છે

(9:09 pm IST)