Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

નેનપુર નજીક ટ્રેનમાંથી નીચે પટકાતા અજાણ્યા મુસાફરનું મોત

નડિયાદ:નડિયાદ-અમદાવાદ રેલવે લાઈન ઉપર નેનપુુર નજીક ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી પડી ગયેલ અજાણ્યો મુસાફર કપાઈ જતા મોતને ભેટ્યો હતો. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના નેનપુર નજીક ગેટ નં. ૨૯૪ કિ.મી. ૪૭૧/૧૮ નજીક ડાઉન લાઈન ઉપરથી પસાર થતી પેસેંજર ટ્રેનમાંથી ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે એક અજાણ્યો મુસાફરનું પડી જતાં કપાઈ ગયો હતો. જેથી તેનું ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતુંં. આ અજાણ્યો પુરૂષ આશરે ૨૮ વર્ષનો હોવાનું જણાઈ આવેલ છે. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 

(5:14 pm IST)