Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આકાર લઈ રહેલા સ્મશાનને રૂ.1,11,111 નું દાન મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કોરોના કાળ માં તંત્ર સાથે ખભે ખભા મિલાવી કોરોનાના મૃતકોની અંતિમક્રિયાના કામ માટે સતત કાર્યરત સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા એક અલાયદું સ્મશાન બનાવવાની શુભ શરૂઆત કરાઈ છે ત્યારે આવા સેવાકાર્ય માટે દેશ- વિદેશ થી દાન મળી રહ્યું છે,જેમાં ગત સપ્તાહે વિદેશમાં રહેતા અને રાજપીપળાના વતની અસિતભાઈ બક્ષી તથા તેમના એક મહિલા હિતેચ્છુ તરફથી દાન મળ્યું હતું, ત્યારબાદ હાલ રાજપીપળા આશાપુરી મંદિર વિસ્તારમાં રહેતા  ભીખાભાઇ સી.ભાવસાર દ્વારા સ્મશાન ભૂમિ ના નિર્માણ માટે રૂ.1,11,111 નું દાન મળ્યું હોય સમસ્ત વૈષ્ણવ વણિક સમાજે આ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:46 pm IST)