Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં દીવાના કારણોસર આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ મકાનમાં આજે સવારે દીવા લીધે આગ લાગી જતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે આગના ઘુમાડા ભરાઈ કારણે પરિવાર ઘબરાઈ જતા ઘરની બહાર નીકળી ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અડાજણ ખાતે ગંગેશ્વર મહાદેવના મંદિર પાસે સાઇ જ્યોત સોસાયટીમા રહેતા મુકેશભાઈ નાયક પરિવાર સાથે રહે છે. આજે સવારે તેના ઘરમાં પૂજાના દીવાને લીધે આગ લાગી હતી ત્યાંથી આગ પ્રસરીને નજીકમાં મુકેલા પલંગમાં લાગવાની સાથે ગાદલાંને આગ પકડી લીધી હતી અને આ રીતે ગાદલાને આગ લાગવાને કારણે ધુમાડો નીકળતા આખા ઘરમાં ફેલાઈ ગયો હતો જેથી તેમના પરિવારના સભ્યો તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. જયારે સોસાઈટીના રહીશોમાં પણ નાશભાગ મચી ગઈ હતી. ત્યારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ, મોરાભાગળ અને પાલનપુર ફાયર સ્ટેશનથી ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયર જોવાનો એ પાણીનો છંટકાવ કરતા અડધો કલાકમાં આગ ઓલાવી હતી

 

(5:10 pm IST)