Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કાંકરેજના રાણકપુરમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજકરંટ લાગતા યુવકનું મોત

કાંકરેજના રાણકપુર ગામે  પાણીની મોટર ચાલુ કરવા જતા એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નિપજયુ છે. મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલ હોસ્પિટલ મોકલી અપાઇ છે.

   આ અંગે મળતી વિગત મુજબ કાંકરેજના રાણકપુર ગામે બુધવારે મનુભા તલસિંહ ઝાલા પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે અચાનક શોર્ટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી દેવામાં આવી છે.

(12:59 am IST)